Tuesday 23 July 2013

ફૂલકાજળી, મોરાકાત કે જયા પાર્વતી ના વ્રત કરવાથી જ સારો પતિ મળે ???


ફૂલકાજળી, મોરાકાત કે  જયા પાર્વતી ના વ્રત કરવાથી જ સારો પતિ મળે ???

  
  એક પાંચ-સાત વરસની નાની, માસુમ,  નિર્દોષ બાળકી તેની માતાને પૂછે છે "આ ફૂલકાજળી, મોરાકાત અને જયાપાર્વતી કરવા ફરજીયાત છે? અને તેમાં પણ બધું જ મોરું-મોરું ખાવાનું ? રાતના 12 અને સવાર સુધી જાગરણ પણ ફરજીયાત કરવાનું, શા માટે? આવો નિર્દોષ સવાલ દરેકે-દરેક છોકરીઓને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે . અને મેજોરીટી આ સવાલ નો દોઢસો ટકા આ જ જવાબ મળે છે જે આ માસુમ, નાની બાળકી ને મળશે  તેની માતા કહે છે  "હા, આ  બધા વ્રતો તો દરેક છોકરી ને અને બધી જ મોટી છોકરીઓને કરવાના જ હોય છે અને મેં પણ કર્યા હતા . આ વ્રત કરવાથી છોકરીઓને સારો છોકરો એટલે સારો અને સંસ્કારી પતિ મળે છે તેના માટે આ વ્રત કરવા જરૂરી છે ."

  જોયું, એઝ યુઝ્વલ  જવાબ  મળ્યો ને !! આપણ  ને બધાને અમુક સવાલો ના સાચા જવાબ મળતા જ નથી, ફક્ત મળે તો બહાના જ !!! ખરેખર તો આપણે એટલે પુરુષે શરમાવું જોઈએ જો સ્ત્રીઓ પુરુષો માટે વ્રત કરી શકે, મોરું-મોરું ખાઈ શકે, આખી રાત (ભલે પછી ટીવી કે તીન પત્તી રમતા-રમતા) જાગી શકે તો એ જ પ્રમાણે અમુક વ્રત પુરુષો માટે પણ રાખવા જોઈતા હતા ભગવાને .(એવું મનાય છે કે આ વ્રત ભગવાને સુચવેલા છે તેથી) કાં સાચું ને !!!
  એક તરફ આપણે  બધા અને વર્ષોથી કહેવાતું આવ્યું છે અને બોલીવુડ ની રોમેન્ટિક ફિલ્મ ની સ્ટોરી નાં ડાયલોગ પ્રમાણે "જોડિયા તો ઉપર  બનતી હે" અથવા આપણા વડીલો અને આપણે બધા બોલતા હોઈએ તે પ્રમાણે "નસીબમાં હશે તે જીવનસાથી (LIFE PARTNER) મળશે" જો ઉપર નો ડાયલોગ અને આ ડાયલોગ સાચો હોય તો શું કામ સ્ત્રીઓ ધરતી પર આવી ને આવા વ્રત કરે છે? જો જાગરણ કરવાથી સારો પતિ મળે તો પુરુષોએ પણ (મેં ઉપર કહ્યું એ મુજબ પુરુષો ના વ્રત) સારી પત્ની મળે એ માટે, મોરું-મોરું ખાઈને, જાગરણ કરવું જોઈએ તેથી શું છે બેલેન્સ જળવાઈ રહે!! બાકી છોકરીઓ અને સ્ત્રીઓ જાગરણ કરે તો એ તો કાબિલ-એ-તારીફ  છે . તે બદલ ખુબ-ખુબ અભીનંદન  .

  અલબત, મને તો હજુ સુધી સમજાતું નથી કે સ્ત્રીઓ આટલી મેચ્યોર(પુરુષ કરતા તો બે કે પાંચ  વર્ષ વધુ સમજદાર) હોય છે છતા પણ કેમ  તેઓ આમાં માને છે . અને એ માસુમ છોકરી ને પણ આં વ્રત તો કરવા  પડશે (પરાણે).. નહિ તો દુનિયા કહેશે "હાય હાય તમારી છોકરીએ ફૂલકાજળી કે મોરાકાત  કે જયાપાર્વતી નાં વ્રત નથી કર્યા તો કેમ તેને સારો છોકરો મળશે?" બોલો!! આવા પણ લોકો છે જ ને !!! "જો આપણે  કોઈનું સારું કરી નથી કરી શક્ર્તા, સારું બોલી નથી શકતા તો શું કામ આવી  ખરાબ (નેગેટીવ) વાતો બોલવી જોઈએ???" આવું પણ આપણી જ આસપાસના લોકો અને દુનીયાવાળા જ બોલતા હોય છે . અને પાછા  વળી ફરીને એમ જ  બોલતા હશે (જે બીજો ડાયલોગ છે એ પ્રમાણે) "નસીબમાં હશે ત્યારે થઇ જાશે તમારી છોકરીનું અથવા છોકરાનું."

  આખરે,તો આ શ્રદ્ધા નો વિષય છે .  "શ્રદ્ધા ઓર આસ્થા એક અફીણ કે નશે કી તરહ હોતા હે, દેખના કાનજી કહી યે લોગ ફિરસે મંદિરો મેં નાં દીખ જાયે" યાદ છે ને આ ફેમસ ડાયલોગ ક્યા ફિલ્મનો છે???
 
ઓહ માય ગોડ!!!

No comments:

Post a Comment