Tuesday 15 July 2014

લાઇફનું બેલેન્સ ચેક કરતું રહેવું જોઈએ!!!

લાઇફનું બેલેન્સ ચેક કરતું રહેવું જોઈએ!!!

જ્યાં પ્રેમ છે, ત્યાં  ઝઘડો છે, ગુસ્સો છે, અને જ્યાં ગુસ્સો છે, ત્યાં પ્રેમ તો અચૂક જ છે. જ્યાં સંઘર્ષ છે, ત્યાં સફળતા તો અચૂક જ છે., જ્યાં પ્રકાશ છે, ત્યાં અંધકાર છે જ  અને જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ આવતો જ હોય છે. અમાસની રાત્રીમાં ચંદ્ર દેખાતો નથી, ત્યાં પુનમની રાત્રીમાં ચંદ્ર પૂરે-પૂરો ગોળ અચૂક જ દેખાય છે. જેનો સવાલ હોય છે, તેનો જાવાબ ક્યાક ને ક્યાક રાઈ ના ઢગલામાં સંતાયેલો હોય છે. જ્યાં શાંતિ/સુખ છે, ત્યાં અશાંતિ/દુખ છે. જ્યાં અશાંતિ/દુખ છે, ત્યાં શાંતિ/સુખને તો આવવું જ પડતું હોય છે. જેમ બધે જ ખરાબ લોકો નથી હોતા તેમ બધે જ સારા લોકો પણ નથી મળવાના. જ્યાં આસ્તિકતા છે ત્યાં નાસ્તિકતા રહેલી છે, અને જ્યાં નાસ્તિકતા છે ત્યાં આસ્તિકતાનો સમાવેશ થયેલો હોય છે. કારણ કે જો તમે નાસ્તિક હોવ તો પહેલા આસ્તિક હોવાના પછી જ નાસ્તિકતાનો ઉદભવ થશે. મસ્તિકમાં માં જ્યાં સારા વિચારો હોય ત્યાં ખરાબ (થોડા-ઘણા, મહંદ અંશે, ખૂણે ખાચરે) વિચારો પણ હોવાના…

      બસ, બસ, બસ કરો સ્ટોપ ધીસ. બહુ થયું આમ છે તો તેમ છે અને તેમ છે તો આમ છે  જ.  આ બધુ તો બધાને ખબર જ છે. કાઇંક નવું જોઇએ અમારે. આવી જ વાતો બધાના દિમાગના તરંગોમાં, લહેરોમાં, મોજાઓમાં ઉઠી જ હશે. હવે આવે છે પિક્ચરનો ઓરીજનલ મુદ્દો, આવડા નાનકડા એવા લેકચર્સનો તાત્પર્ય, ભાવાર્થ : કે આ દુનિયામાં, એક્ચ્યુલી આમ તો આપણાં બધાની જિંદગીમાં બેલેન્સ, સંતુલન રાખવું જરૂરી બનતું હોય છે, કદાચિત આપણે સંતુલન ના જાળવી શકીએ પણ ઓટોમેટિક (જેમ કે પ્રેમીને પ્રેમિકાની યાદમાં ખાવાનું ન ભાવે એવું ઓટોમેટિક) સંતુલન જળવાઈ જ જતું હોય છે જે તે પરિસ્થિતી કે સંજોગો પ્રમાણે..
    મારા ફાધર હમેશા કહેતા હતા અને કહે છે કે “જો દુનિયામાં બધે જ સારા લોકો હોય તો દુનિયા એક તરફ ઢળી જાય તેથી ખરાબ લોકોથી બેલેન્સ, સંતુલન જળવાઈ રહે” ક્યારેય કોઈએ એ વિચાર્યું છે કે શું કામ આપણને બે(૨) પગ મળ્યા છે? એક પગ વડે ચાલી ન શકાય? આનો જવાબ કદાચ કોઈ અપંગ વ્યક્તિ જેને એક પગ નથી હોતો તે સારી રીતે આપી શકશે. પણ મારા ખ્યાલ મુજબ બીજો પગ આપણને મળેલો છે શરીરનું સંતુલન જાળવવા માટે. લેટ્સ એક્ષ્પ્લેયન ઈટ આપણે ચાલવા કે દોડવા માટે જ્યારે એક પગ આગળ વધારીશું તો બીજા પગને પણ આપણે આગળ વધારવાનો જ રહ્યો તો જ આપણે આગળ  ચાલી શકીશું. ક્યાય એ સાંભળ્યુ છે કે એક પગ વડે દોડીને કોઈએ દોડની રેસ જીતી? એ કદાચિત શક્ય નથી કારણ કે  જ્યાં સુધી બે પગ વચ્ચે સંતુલન, બેલેન્સ ના જળવાઈ તો તમે દોડી કેવી રીતે શકો? ક્યારેક એક પગ પર થોડી વાર ઊભા રહીને તો જો જો… જો પ્રેકટીશ નહીં હોય તો તરત જ થકી જવાશે અને તરત જ બીજો પગ નીચે પડી જાશે અને થાક ઉતારી દેશે અને બેલેન્સ જળવાઈ જાશે અને તરત જ રાહત નો શ્વાસ લેવાય જાશે.
    ક્યારેય પક્ષીઓમાં એક પાંખ જોઈ છે? ક્યારેય ગાય, ભેસ, બળદ મતલબ પશુઓમાં એક શિગડા જોયા છે? આમાથી એક પગ, પાંખ કે એક શિગડા ના હોય તો ચોક્કસ ચાલે અને જીવી પણ શકાય ખરું, પણ સંતુલન તો  ખોરવાઈ જ જવાનું!!
    જો પતિ/પત્ની ગુસ્સાવાળો/વાળી હોય,  અને પત્ની/પતિ શાંત હોય તો ચોક્કસ સંતુલન રહેશે પણ બન્ને જો ગુસ્સાવાળા હોય તો શું થાય એ તો કલ્પના જ કરવી રહી!! ઘણા લોકો ખાવા માટે જીવતા હોય છે, અને બીજા ઘણા લોકો જીવવા માટે ખાતા હોય છે. જો બધા જ  લોકો ખાવા માટે જીવતા હોય તો ખાવાનું ઘટવાનું અને અછત ઊભી થવાની અને મોંઘવારી પણ વધવાની. પણ સારું છે બીજા લોકો એવા છે જે જીવવા માટે ખાઈ છે અને કદાચ તેથી જ સંતુલન, બેલેન્સ જળવાઈ રહ્યું છે…         

 

“”મહત્વનુ શું?……….””

“”મહત્વનુ શું?……….””

ક્યારેક-ક્યારેક અમુક સવાલના જવાબ શોધતા સમયે ફરીથી સવાલ પૂછવાથી પણ સાચો જવાબ મળી જતો હોય છે. જ્યારે પણ  કાઇં  સમજાય  નહિઁ  ત્યારે આ શબ્દનો  સવાલ તરીકે ઉપયોગ કરવાથી પણ ઘણાં જવાબ મળી જતાં  હોય અને વધારેમાં વધારે એ વર્તમાન કાળ (Present Tense) , હાલમાં, અત્યારે જ, હમણાં, આજ ઘડી ને લાગુ પડતો હોય છે. “મહત્વનુ શું ???.”..  ડાયરેક્ટ લેટ્સ સી ફર્સ્ટ એકઝામપ્લ.
    અત્યારે બધા જ ટીચર્સ, શિક્ષકોની ફરિયાદ હોય જ છે કે “સ્ટુડન્ટ શિસ્તમાં નથી રહેતા?” હવે, આ વાક્યમાં “મહત્વનુ શું?” શબ્દનો ઉપયોગ કરીએ “  સ્ટુડન્ટને શિક્ષણ, જ્ઞાન (અત્યારે જે પ્રમાણે ગોખણિયું જ્ઞાન આપવામાં આવે છે એવું નહીં હો!) આપવું મહત્વનુ છે કે શિસ્ત શીખવાડવું મહત્વનુ છે?” હવે, આવો સવાલ પૂછવાથી જરૂર આપ બધા (બુદ્ધિશાળી) કહેશો બન્ને જરૂરી છે. ચોક્કસ સો ટકા સાચી વાત બન્ને  મહત્વનુ છે. પણ જો સ્ટુડન્ટ સાચા જ્ઞાન, સાચા શિક્ષણને પામી જશે એટ્લે તે ઓટોમેટિક શિસ્તમાં આવી જશે તમારે કે મારે કે કોઈએ પણ તે બાબતમાં તેઓને સમજવું નહીં પડે. એ જેમ રોજ સવારે સૂર્ય પૂર્વમાથી જ ઊગે છે એમ તે શિસ્તમાં પણ આવી જ જશે.

     આવું એક જ બાબતમાં નહીં કોઈ પણ બાબતમાં આ શબ્દનો ઉપયોગ થઈ શકે છે અને તુરંત જ એટ ધેટ ટાઈમ જ સાચો અને વ્યાજબી જવાબ મળશે.. ઉપર જે સ્ટડી વિશે વાત કરી તો તેમાથી જ એક બીજો સવાલ ઉદભવે છે. “સ્ટડી કરવું મતલબ કે જ્ઞાન મેળવવું મહત્વનુ છે કે ફકત ડિગ્રી મેળવવી મહત્વની છે? (જે હાલમાં રેશ લાગી છે તે રીતે!!)..  ડિગ્રી વિશેની એક રસપ્રદ વાત આપ સો ને જણાવી છે.  M.com ની એક્ઝામ વખતે એક મિત્રએ (નામ ના આપી શકું) પહેલા જ પેપરમાં શ્રી કૃષણની આરતી પહેલા જ પાનાં પર લખેલી છે. એવું એ પોતે કહી રહ્યો છે. અને વધારેમાં પણ કહે છે કે “આ તો ફકત ડિગ્રીમાટે હું એક્ઝામ આપવા આવું છે બાકી  M.comમાં ક્યાં-ક્યાં સબજેક્ટ છે એ પણ મને નથી ખબર”અને દોસ્તો મજાની વાત એ છે કે એ પાસ પણ થઈ ગયો હતો!! બોલો!!! અલબત, એવા પણ સ્ટુડન્ટ છે કે જે ડિગ્રી મેળવે છે અને સાથે-સાથે એનું જ્ઞાન પણ મેળવે છે. બટ અત્યારે તો સૌથી મહત્વની ડિગ્રી હોય એવું લાગી રહ્યું છે. જો તમારી પાસે આ ડિગ્રી હોય તો તમને આ પોસ્ટ મળે અને ડિગ્રી હોવાથી કઈં ડાયરેક્ટ તો જોબ નથી મળી જતી પછી તેના કાર્ટરેયા  શરૂ થાય તમને આટલા ટકા(%)  તો ઓછામાં ઓછા આવેલા જ હોવા જોઇએ તો જ તમે એ પોસ્ટ માટે એપ્લાય કરી શકો!! બોલો!! જે ફાલતુ (FALTU) મૂવીનો  સવાલ હતો તે મારો પણ છે “યે કેસા એજ્યુકેશન સિસ્ટમ હે આપકા, આપ પાસ તો 35 માર્ક્સ પર કાર ડેટે હો પર જોબ, નોકરી 55, 60, 70, પ્રતિશત વાળો કો હી  દેતે  હો” જો તમારે ભરતી 55ટકા(%) વાળા ઉમેદવાર ની કરવી છે તો પછી પાસીગ સિસ્ટમ શું કરવા 35% ની રાખો છે??

    એક એંજિન્યરીગના લાસ્ટ યરમાં સ્ટડી કરતાં યુવાનને પૂના જોબ મળે છે. એટ્લે ઓબ્યસલી તે ખુશ જ થવાનો.  અને  હોસ્ટેલના રૂમમાં જાય છે. તેના મિત્રો તેને કહે છે “એલા તારી પાસે પાસપોર્ટ ક્યાં છે? પૂના જવા માટે તો પાસપોર્ટ જોઇએ”  જોબ મળેલા યુવાનને ત્વરિત ગુસ્સો આવી જાય છે અને સામે પાનના ગલ્લે જઈને ઉપરા ઉપરી સિગારેટ ફૂંકવા માંડે છે. ત્યારે પાનવાળો પૂછે છે અને તે પાનવાળાને આખી વાત કહે છે અને પાનવાળો કહે છે ”એ ગાંડા પૂના તો ભારતમાં જ આવ્યું, તમે બધા હાઈલી એજ્યુકેટેડે થઈને આવી જ ભૂલ કરજો” (અલબત, તેના મિત્રોએ તેની સાથે મજાક કરી હતી!!) આ કહેવાય પુસ્તક્યું જ્ઞાન, ગોખણ પટ્ટી વાળું જ્ઞાન…
   હવે, કહો જ્ઞાન મહત્વનુ છે કે ડિગ્રી????     

 

Monday 14 July 2014

બુદ્ધિશાળી, ઇન્ટેલિજન્ટ કોને કહી શકાય આ જમાનમાં?

બુદ્ધિશાળી, ઇન્ટેલિજન્ટ કોને કહી શકાય આ જમાનમાં?

 

  બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે તેથી,
       વિશેષ તકો એ ઊભી કરે છે.     — ફ્રાંસિસ બેકન

   આજ-કાલ બધાને એ.સીવાળી ઓફિસોમાં કમ્પ્યુટર પર 5000 કે 6000 રૂપિયામાં નોકરી કરવી છે. પણ જો તેનાથી વધારે પગાર મળતો હોય તેવી કોઈ દુકાન પર નોકરી નથી કરવી કારણ કે ત્યાં એ.સી. નહીં હોય અને કદાચ તમારા કપડાં પણ બહુ જ ગંદા થાય એવું પણ બને અને લોકો ત્યાથી નીકળતા હોય તો તેઓ તમને જોવાના જ છે તે તો ખરું જ!!
   એક 25-26 વર્ષનો છોકરો નોકરીની તલાશમાં વિદેશ જાય છે એટ્લે ત્યાં કાઇં નોકરી રેઢી તો નથી પડી ને! તેને એક ટેક્ષી ડ્રાઈવરની નોકરી મળે છે એટલે તે તેના મિત્રોને કહે છે કે ““દોસ્ત હું તો અહિયાં કોઈ મોટી કંપનીમાં નોકરી કરવા આવ્યો હતો આ ટેક્ષી ડ્રાઈવરની નોકરી?” ત્યારે તેનો દોસ્ત કહે છે ““અરે, યાર અહિયાં કામ નાનું હોય કે મોટું કામ કરવાવાળાની દરકાર, હિજજત હોય છે. ક્યૂ કામ કરો છો એ નહીં””     શું સુપર્બ ડાયલોગ કહ્યો છે. અહિયાં હું આપને ટેક્ષી ડ્રાઈવર કે રિક્ષા ડ્રાઈવર બની જાવ એવું નથી કહેવા માંગતો ભલે તે લોકો પણ પોતાના પેટ માટે જ કામ કરતાં હોય છે, પોતાના કુટુંબનું ભારણ પોષણ માટે જ કામ કરે છે. પણ અહિયાં આપણો ટોપીક છે બુદ્ધિશાળી કોણ?
   એક ઇમારત ચણવાવાળા ત્રણ કડિયા ભાઈઓને એક પ્રશ્ન પુછવામાં આવ્યો “તમે શું કરી રહ્યા છે?” એક સરખો જ પ્રશ્ન પણ, ત્રણે-ત્રણનો જવાબ અલગ-અલગ જોઇએ આપણે બધા. પહેલા કડિયા ભાઈએ કહ્યું “”તમને દેખાતું નેથી હું મજૂરીકામ કરી રહ્યો છું.”” બીજાએ કહ્યું “”ભાઈ હું તો મારા કુટુંબના લોકો માટે રોજી-રોટી કમાઈ રહ્યો છું.”” અને ત્રીજાએ કહ્યું “””દોસ્ત હું ઇમારતોનો પાયો ચણી રહ્યો છું જેનાથી ભવિષ્યમાં આ ઇમારત પર જે ઓફિસ બનશે ત્યાં ઘણા લોકો કામ કરશે અને રૂપિયા કમાશે””” બોલો!! કેટલો ફર્ક છે ત્રણે-ત્રણ કડિયા ભાઇઓના જવાબ નો.. કાદાચ મારા ખ્યાલ પ્રમાણે હું આમાથી ત્રીજા કડિયાભાઇ ને બુદ્ધિશાળી માનીશ..
  બુદ્ધિશાળી એ કે જે કેબીસી(કોણ બનેગા ક-રોરપતિ)માં દરેકે-દરેક પ્રશ્નોનાં જવાબ ત્રીસ-ત્રીસ સેકન્ડ કે વધીને ત્રણ-ચાર મિનિટમાં આપી દે તે બુદ્ધિશાળી કે અથવા એ કે જે આ બધા પ્રશ્નોનાં જવાબ આપવા માટે અલગ-અલગ વ્યક્તિને હાયર કરી લે અને પોતાના દિમાગનો જરૂર પડે ત્યારે જ અને તેટલો જ ઉપયોગ કરે તેને.  અત્યારે બધા એવું માનવા લાગ્યા છે કે જેટલી તમારી પાસે ડિગ્રીઓ વધુ એટલા તમે વધારેમાં વધારે બુદ્ધિશાળી!!!  અત્યારે એવું પણ એક તારણ નિકળ્યું છે કે જો તમને ફેસબૂક(FACEBOOK) વિષે જાણકારી ના હોય તો તમે બુદ્ધિશાળી નો કહેવાય. તો ફેસબૂકમાં એકાઉન્ટ(ખાતું) હોવું એને બુદ્ધિશાળી કહેવાય કે જેને ફેસબૂક શરૂ કર્યું તેઓ “માર્ક જકરબર્ગ” તે બુદ્ધિશાળી કહેવાય.
  કોઈ ઓફિસમાં 5 કે 10 કે 15000/- નો નોકરી કરવાવાળા એમ્પ્લોય ને બુદ્ધિશાળી ગણવું કે તે જ ઓફિસના માલિક જેને એવા 5 કે 6 એમ્પ્લોય ને નોકરીએ રાખ્યા હોય તેને બુદ્ધિશાળી ગણવું. (અલબત, તે માલિક તેના એમ્પ્લોય કરતાં તો ઓછું જ ભણેલા હોય છે.!!)
   હવે, ઘણી બધી વાતો થઈ ગઈ. આ બધા જ માં બધા જ નોકરી કરતાં હોય એવા લોકો તેના માલિકો કે રિક્ષા ડ્રાઈવર, ટેક્ષી ડ્રાઈવર આ બધા જ પોત-પોતાની જગ્યાએ બુદ્ધિશાળી છે જ. બધા આખરે તો પોતાનું અને પોતાના કુટુંબ માટે જ કામ કરતાં હોય છે અને પગાર મેળવતા હોય છે. આવડી મોટી વાત અત્રે કરવી એટલે જરૂરી બને છે કે બુદ્ધિ ને ડિગ્રી સાથે ના તોલવી જોઇએ. બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ બરાબર છે અને ડિગ્રી ડિગ્રીની જગ્યાએ. કોઈ આપને ગમે તેટલા અબુદ્ધિશાળી માનતા ભલે હોય પણ જ્યાં સુધી આપ આપના વિષે શું માનો છો, શું વિચારો છો એ વધારે મહત્વનુ છે. અલબત, બુદ્ધિ ને ડિગ્રી સાથે સરખાવી તદન બેવફુંકી ભરેલી વાત છે.
     અસંભવ એક એવો શબ્દ છે કે જે કેવળ મૂર્ખાઓના શબ્દકોશમા મળે છે.
                                                                                —-નેપોલિયન                  

 

“પાયાના કામ : મોટા કે નાના ?”

“પાયાના કામ : મોટા કે નાના ?”

જેટલા પણ પાયાના કામ છે એ બધાને આપણા સમાજે, આપણી દુનિયાએ,આપણા લોકોએ ખરબમાં ખરાબ ગણાવ્યા છે. આ એક સત્ય હકિકત છે. ભલે, આપણે બધા બરાડા પાડી પાડીને કહેતા હોઇએ કે “કોઇ પણ કામ મોટુ કે નાનું નથી હોતુ.” પણ સત્ય એ છે કે આ વાતને આપણે સમ્પુર્ણપણે માનતા નથી અને જે માને છે (અને જાણે છે!) તેઓને પણ આપણે આપણા જેવી વિચારસરણી મુજબ જીવવા માટે મજબુર કરીએ છીએ.
   હવે પાયાના કામની યાદિ અહિયાં મારાથી તો શું કોઇનાથી બધી તો ના જ મૂકી શકાય પણ જેટલા અગત્યના અને મને ટુંક સમયમાં ધ્યાનમાં આવ્યા છે તેની હુંઅત્રે ચર્ચા કરવા માંગુ છું. આખરે, આપણો દેશ લોકશાહી(કહેવા ખાતર!) છે. જે આપ બધાને ઠીક લાગે તે સાચુ! જેમ કે,
*ટ્રાન્સપોર્ટેશન

i) આમાં શરુઆત રિક્ષા ડ્રાઇવર કે ટેક્ષી ડ્રાઇવર કે સિટી બસ કે સરકારી બસના ડ્રાઇવરથી કરીએ : જસ્ટ ઇમેજીન સવાર સવારમાં ઓફિસે પહોચવામાં કે દુકાને જવા માટે (જેની પાસે પોતાનુ વાહન ના હોય તે) તમને કોઇ પણ રિક્ષા કે ટેક્ષી કે સિટી બસ ના મળે તો? ખાલી વિચારી તો જુઓ શું હાલત થાય તમારી? અને જો તમારી ઓફિસ તમારા ધરે થી 10 કિ.મિ. દુર હોય તો? બસ વિચાર કરો…
ii) આમા એ લોકો આવે છે જે ડાયરેકટલી આપણ ને મદદમાં નથી આવતા પણ જ્યાથી તમે જે કોઇ પણ વસ્તુ ખરીદવા જાવ છો ત્યાં આ લોકો તે વસ્તુને પહોચાડે છે. મતલબ કે કોઇ કરીયાણાની દુકાનવાળાભાઇ, વખારિયા બજારમાથી માલ મંગાવે અને વખારીયા બજારવાળા વેપારી જેના મારફતે માલ મોકલે તે લોકો. આપણેત્યાં આવું કામ કરનારને “મજુર” તરીકે ઓળખવામાં આવે છે. હવે ફરીથી જસ્ટ ઇમેજીન. જો તમારે કરિયાણાની કોઇ વસ્તુની જરૂર આકસ્મિક રીતે પડી અને એ વેપારીભાઇ ક્હે કે “હવે, તો મજુરીકામ ક્યાં કોઇ કરે છે એટલે, અમે આવતા અઠ્વાડીયે લાવીશુંત્યારે મળશે”. બસ, વિચાર કરો જો બધા લોકો આ કામને નાનું ગણવા માંડે તો શું થાય?

(iii) : ગાઠીયા/ફાફડા અને જલેબીની લારીવાળા : ફાફડા અને જલેબીનું નામ પડતા જ બધાના જીભે પાણી આવી ગયું ને. અને તારક મહેતાના જેઠાલાલ પણ યાદ આવી ગયા હશે. હવે દોસ્તો અગેઇન જસ્ટ ઇમેજીન. તમારે ત્યાં કોઇ બહારગામથી મહેમાન આવ્યા છે. અને સવારે તમે ગાઠીયા અને જલેબી લેવા નીકળો છો પણ ગાઠીયાવાળાની લારી કે દુકાન નથી મળતી કારણ કે તેઓએ પણ “હવે આવું નાનું કામ કરવાનું બંધ કરી દીધું છે.” તો શું થાય?

(iv) ચા ની કેબીનવાળા વેપારી : તમારે કાલે સવારે બહાર જવાનું છે અને ચાર-પાંચ ક્લાકની મુસાફરી બાદ તમને કોઇ “ચા” ની દુકાન નથી મળતી અને તમારું માથું પાકી ગયું છે. તમે જ એક દિવસ કહેતા હતા કે “ચા હું થોડી વેચું તેના કરતા તો હું મરી જવાનું પસંદ કરું.” તો શું થાય? કે પછી ઓફીસની નજીક ચા વાળાભાઇ બંધ હોય અને સવારે ચા ના મળે અને દુરથી લેવા જાવી પડે ત્યારે કેવી ફીંલીંગ થાય? અને હા “ચા” તો આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ મોદી એ પણ વેચેલી કે તેથી કમ સે કમ આ કામ ને તો આ કામ ને તો નાનું કામ કહી અને સમજી પણ ના શકાય.

(v)શાકભાજી વેચવાવાળા : આ ટોપીક જોરદાર કોમેડી વાળો છે મારા માટે. “માણસને જે પોતાની શરીરની અંદર એટલે કે જે ખાવું છે તે સાવ સસ્તામાં સસ્તામાં સસ્તું જોઇએ છે અને જે શરીરની ઉપર પહેરવાનું છે અથવા તો બીજા શબ્દો કહીએ તો “દેખાડો” કરવાનો છે દુનિયાની સામે, તે સૌથી મોંધામાં મોંધુ જોઇએ છે.” કદાચિત આટલી વ્યાખયામાં જ બધા સમજી ગયા હશે. આપણે ત્યાં શાકભાજી વેચવાનું કામ એકદમ તુચ્છ પ્રકારનું ગણવામાં આવે છે. “શાકભાજી વેચીને જે વ્યક્તિ મહિને વીસેક હ્જાર (૨૦૦૦૦/૦૦) ક્માતો હ્શે તેની ક્દર આપણા સમાજમાં નથી હોતી, પણ એ.સી.વાળી ઓફીસમાં મહિને તેનાથી અડ્ધું કમાતો હોય છે તેની કદર વધારે હોય છે આપણા સમાજમાં. અને શાકભાજી પણ આપણે ત્યાં રોડની નીચે બેસીને વાહનોના ધુમાડા ખાતું હોય, આપણે ચાલતા હોય ત્યારે ઊડતી ધુળ પણ એમાં ચોટતી હોય તે રીતે વેંચવામાં આવે છે. (કદાચ બધી જગ્યાએ આવી રીતે નહીં હોય). હવે, જસ્ટ ઇમેજીન તમારે કરી લેવાનું જો શાકભાજી લેવા જઇએ અને કોઇ શાકભાજી વેચવાવાળા જ ના હોય તો શું થાય?

એવું નથી કે બધા લોકો આવું કામ કરવાવાળાને નાનું કામ ગણતા હોય! અને એ પણ સત્ય છે કે આવું કામ કરવાવાળા બધા લોકો પણ પોતાના કામને મોટું કામ નથી સમજતા.

મોસ્ટ ઇમ્પોર્ટેંટ વાત કે જો તમે જ તમારા કામને મહત્વનુ નથી ગણતાં, કદર નથી કરતાં તો બીજા લોકો ક્યારેય પણ મહત્વનુ નહીં ગણે. ખરેખર તો કામને “નાના કે મોટા” ની વ્યાખયામાં જ ના લાવીએ તો જ સારું છે ને.!!!  

 

कोई डिग्री, डिग्री नहीं चाहिये?? मतलब जिसे कलर्क की नोकरी भी नहीं मिल शकती वो देश चला शकता हे?? अब क्या करोगे धिस इस इंडिया ज़िंदा बाद —- भूतनाथ रीटर्न्स

कोई डिग्री, डिग्री नहीं चाहिये??
मतलब जिसे कलर्क की नोकरी भी नहीं मिल शकती वो देश चला शकता हे??
अब क्या करोगे धिस इस इंडिया ज़िंदा बाद
                              —- भूतनाथ रीटर्न्स

શનિવારે રાત્રે “નટરાણી”, ઉસમાનપુરા, અમદાવાદમા જિંદગીમાં પહેલીવાર એક નાટક જોયું અને એ પણ “”ગુજરાતી.””
“એક નવી શરૂ…આત…” અને “1 અને એક”
ખૂબ જ સરસ નાટકના પાત્રોનો અભિનય અને ખૂબ જ સરસ તેઓનો સંદેશ. કદાચિત તેઓએ જે સંદેશ આપ્યો તે કોઈ આજ-કાલનો કે કાઇં નવો પણ નથી. એ બિલકુલ સાચો સંદેશ હતો, છે, અને રહેશે. જે આપણને બધાને ખ્યાલ છે પણ,માનતા નથી. તેઓએ અત્યારના માહોલ પ્રમાણે જે આ નાટક ભજવ્યું તે બિલકુલ પરફેક્ટ સમયે છે.
        આ નાટક જોયા પહેલા વેરાવળ થી અમદાવાદ આવતી વખતે બસમાં “ભૂતનાથ રીટર્ન્સ” મૂવી જોયું. તે મૂવી વિષે અત્રે થોડું નોંધી રહ્યો છું.


        વાતમાં સાચા પાયે દમ છે. જેની કદાચ પરીક્ષા લેવામાં આવે એક બેન્કના કારકુનની કે કોઈ બીજા સરકારી ઓફિસના કારકુનની અને તેમાં તે પાસ પણ ન થાય તેવા લોકોને આપણો દેશ ચલાવવાનો અધિકાર છે. એકોરોડિંગ ટુ રુલ બૂક 1) તમે ભારતના નાગરિક હોવા જોઇએ, 2) તમારી ઉમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ, 3) તમારા પર કોઈ ફોજદારી ગુનો ના હોવો જોઈએ તેવું સર્ટિફિકેટ, 4) તમારા દિમાગની હાલત સરખી હોવી જોઈએ.
        અરે,યાર અત્યારના જમાનમાં તો તમારે મેરેજ કરવા હોય તો પણ તમારા બાયોડેટામાં તમારે M.B.A., M.C.A., C.A., C.S., PH. D., એવું દર્શાવવું પડે છે. (ઘણા તો કંકોતરીમા પણ ઇન બ્રેકેટમાં () પોતાની ડિગ્રી દર્શાવે છે.) પણ, જો તમારે ભારત દેશ ચલાવવો હોય તો આપણાં નિયમમાં એવી કોઈ ચોખવટ નથી કે ફલાણી કે ફલાણી ડિગ્રી તમારી પાસે હોય તો જ તમે ચુટણીમાં ઉમેદવારી નોંધાવી શકો!!!

શનિવારે રાત્રે “નટરાણી”, ઉસમાનપુરા, અમદાવાદમા જિંદગીમાં પહેલીવાર એક નાટક જોયું અને એ પણ “”ગુજરાતી.””
“એક નવી શરૂ…આત…” અને “1 અને એક”
ખૂબ જ સરસ નાટકના પાત્રોનો અભિનય અને ખૂબ જ સરસ તેઓનો સંદેશ. કદાચિત તેઓએ જે સંદેશ આપ્યો તે કોઈ આજ-કાલનો કે કાઇં નવો પણ નથી. એ બિલકુલ સાચો સંદેશ હતો, છે, અને રહેશે. જે આપણને બધાને ખ્યાલ છે પણ,માનતા નથી. તેઓએ અત્યારના માહોલ પ્રમાણે જે આ નાટક ભજવ્યું તે બિલકુલ પરફેક્ટ સમયે છે.
        આ નાટક જોયા પહેલા વેરાવળ થી અમદાવાદ આવતી વખતે બસમાં “ભૂતનાથ રીટર્ન્સ” મૂવી જોયું. તે મૂવી વિષે અત્રે થોડું નોંધી રહ્યો છું.

कोई डिग्री, डिग्री नहीं चाहिये??
मतलब जिसे कलर्क की नोकरी भी नहीं मिल शकती वो देश चला शकता हे??
अब क्या करोगे धिस इस इंडिया ज़िंदा बाद
                              —- भूतनाथ रीटर्न्स

        વાતમાં સાચા પાયે દમ છે. જેની કદાચ પરીક્ષા લેવામાં આવે એક બેન્કના કારકુનની કે કોઈ બીજા સરકારી ઓફિસના કારકુનની અને તેમાં તે પાસ પણ ન થાય તેવા લોકોને આપણો દેશ ચલાવવાનો અધિકાર છે. એકોરોડિંગ ટુ રુલ બૂક 1) તમે ભારતના નાગરિક હોવા જોઇએ, 2) તમારી ઉમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ, 3) તમારા પર કોઈ ફોજદારી ગુનો ના હોવો જોઈએ તેવું સર્ટિફિકેટ, 4) તમારા દિમાગની હાલત સરખી હોવી જોઈએ.
        અરે,યાર અત્યારના જમાનમાં તો તમારે મેરેજ કરવા હોય તો પણ તમારા બાયોડેટામાં તમારે M.B.A., M.C.A., C.A., C.S., PH. D., એવું દર્શાવવું પડે છે. (ઘણા તો કંકોતરીમા પણ ઇન બ્રેકેટમાં () પોતાની ડિગ્રી દર્શાવે છે.) પણ, જો તમારે ભારત દેશ ચલાવવો હોય તો આપણાં નિયમમાં એવી કોઈ ચોખવટ નથી કે ફલાણી કે ફલાણી ડિગ્રી તમારી પાસે હોય તો જ તમે ચુટણીમાં ઉમેદવારી નોંધાવી શકો!!!
શનિવારે રાત્રે “નટરાણી”, ઉસમાનપુરા, અમદાવાદમા જિંદગીમાં પહેલીવાર એક નાટક જોયું અને એ પણ “”ગુજરાતી.””
“એક નવી શરૂ…આત…” અને “1 અને એક”
ખૂબ જ સરસ નાટકના પાત્રોનો અભિનય અને ખૂબ જ સરસ તેઓનો સંદેશ. કદાચિત તેઓએ જે સંદેશ આપ્યો તે કોઈ આજ-કાલનો કે કાઇં નવો પણ નથી. એ બિલકુલ સાચો સંદેશ હતો, છે, અને રહેશે. જે આપણને બધાને ખ્યાલ છે પણ,માનતા નથી. તેઓએ અત્યારના માહોલ પ્રમાણે જે આ નાટક ભજવ્યું તે બિલકુલ પરફેક્ટ સમયે છે.
        આ નાટક જોયા પહેલા વેરાવળ થી અમદાવાદ આવતી વખતે બસમાં “ભૂતનાથ રીટર્ન્સ” મૂવી જોયું. તે મૂવી વિષે અત્રે થોડું નોંધી રહ્યો છું.

कोई डिग्री, डिग्री नहीं चाहिये??
मतलब जिसे कलर्क की नोकरी भी नहीं मिल शकती वो देश चला शकता हे??
अब क्या करोगे धिस इस इंडिया ज़िंदा बाद
                              —- भूतनाथ रीटर्न्स

        વાતમાં સાચા પાયે દમ છે. જેની કદાચ પરીક્ષા લેવામાં આવે એક બેન્કના કારકુનની કે કોઈ બીજા સરકારી ઓફિસના કારકુનની અને તેમાં તે પાસ પણ ન થાય તેવા લોકોને આપણો દેશ ચલાવવાનો અધિકાર છે. એકોરોડિંગ ટુ રુલ બૂક 1) તમે ભારતના નાગરિક હોવા જોઇએ, 2) તમારી ઉમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ, 3) તમારા પર કોઈ ફોજદારી ગુનો ના હોવો જોઈએ તેવું સર્ટિફિકેટ, 4) તમારા દિમાગની હાલત સરખી હોવી જોઈએ.
        અરે,યાર અત્યારના જમાનમાં તો તમારે મેરેજ કરવા હોય તો પણ તમારા બાયોડેટામાં તમારે M.B.A., M.C.A., C.A., C.S., PH. D., એવું દર્શાવવું પડે છે. (ઘણા તો કંકોતરીમા પણ ઇન બ્રેકેટમાં () પોતાની ડિગ્રી દર્શાવે છે.) પણ, જો તમારે ભારત દેશ ચલાવવો હોય તો આપણાં નિયમમાં એવી કોઈ ચોખવટ નથી કે ફલાણી કે ફલાણી ડિગ્રી તમારી પાસે હોય તો જ તમે ચુટણીમાં ઉમેદવારી નોંધાવી શકો!!!