21 મી સદી, જ્ઞાન ની સદી?
21 મી સદી, વિજ્ઞાન ની સદી?
કે
21 મી સદી, દેખાડો કરવાની સદી?
છતાં એક દિવસ તેણી નોકરી પરથી વહેલી ઘરે આવી ગઈ અને ફરીથી નેગેટીવ (નકારાત્મક) વિચારોનો ફલો (પ્રવાહ) શરુ થઇ ગયો અને તેણીએ નક્કી જ કરી લીધું કે " આજે તો કાંઇક નિર્ણય કરવો જ છે ." પતિ જયારે ઘરમાં મોડો આવ્યો ત્યારે તેણીએ એકદમ ગુસ્સા સાથે કહ્યું "મને મનથી ખુશી જોઈએ છે, મનમાં સુખ જોઈએ છે, આપની જીંદગી એક મશીન જેવી બની ગઈ હોય તેવું લાગે છે રોજ સવારે ઉઠીને ફક્ત એક જ કામ?
આપણી બાહ્ય જિંદગીમાં તો આપણે ખુશ છીએ પણ એ બધુ બીજાને દેખાડવા માટે ખુશ રહીએ તેવું લાગી રહ્યું છે . આપણી અંદર મનમાં, દિલમાં આપણને જરા પણ સુખી નથી અને જ્યાં સુધી આપણને આપણા મનમાં ખુશી કે સુખ ની લાગણી નહિ ઉદભવે ત્યાં સુધી આ બધી જ મોઘીદાટ ચીજો કે વસ્તુઓ ગમે તેટલી વસાવી લઈએ છતાં નકામી છે અને રહેશે !!!
આવું જ કાંઇક અત્યારે આપણા બધાની જિંદગીમાં થઇ રહ્યું છે . આપણે બીજાને ખુશ કરવા અથવા બીજાને દેખાડવા બધી બાહ્ય વસ્તુઓ ખરીદવા લાગ્યા છે પણ મનમાં, હૃદયમાં, દિલમાં તો બીજાના માટે ફક્ત ને ફક્ત નફરત, વેર-ઝેર (અને ક્યારેક તો મારી નાખવાની ભાવના) ભરેલા હતા અને હોય છે (રહેશે તેવું નાં કહી શકાય) એનું શું??
ઘણા લોકો તો સમાજમાં પોતાની પ્રતિષ્ઠા વધારવા એક અલગ સ્ટેટસ ઉભું કરવા માટે ખુશ રહેવાની અને સુખ આપે તેવી વસ્તુઓ ખરીદવા લાગ્યા છે!!! એવું નથી કે પૈસા ન કમાવા જોઈએ કે અમીર ન બનવું જોઈએ પણ એટલા બધા અમીર ન બનવું કે જેનાથી આપણે જ આપણા મન ને શેનાથી ખુશી કે સુખ મળે તેની ખબર નાં હોય . આપણને જે કામમાંથી ખુશી કે સુખ મળતું હોય તે કરવું જોઈએ નહિ કે બીજાઓને દેખાડવા માટે!!!
No comments:
Post a Comment