એક માતા-પિતા તેના બાળકને જયારે પહેલી વખત સ્કૂલે મુકવા જાય છે ત્યારે જો બાળક રડે તો તેના માતા-પિતા કહશે "બેટા જો તું સ્કૂલે જઈશ તો હું તને તને ચોકલેટ લઈ દઈશ"
થઇ ગઈ ને ભ્રષ્ટાચાર ની શરૂઆત!!!!
પછી બાળક ચોથા કે પાચમાં ધોરણમાં આવશે એટલે કહશે "બેટા જો તું પરીક્ષામાં સારા માર્કસ લાવીશ તો હું તને સાયકલ/ઘડિયાળ/બેટ/રીમોટવાળી કાર/વિડીયો ગેમ લઈ દઈશ"
આવું તો કઈ કેટલુંય નાનપણથી જ શરૂઆત થઇ જતી હોય છે અને એક પ્રકારે તો આ ભ્રષ્ટાચાર જ કહેવાય. જો આપણે આપણા ઘરમાંથી જ ને દુર નહી ભ્રષ્ટાચાર કરીએ તો સરકારી સિસ્ટમમાંથી કેવી રીતે દુર થઇ શકે?
જે પ્રાથમિક કે માધ્યમિક ના વિદ્યાર્થીઓ સ્કૂલે જતા ડરે છે (હું પણ ડરતો) શું કામ? શું કામ? શું કામ? મને પણ નથી ખબર!! હા કદાજ આવી રીતે "જો સારા માર્કસ લાવીશ તો" વાળી નીતિ ના કારણ થી જ.
જો આવી નીતિ અપનાવીશું તો તેંઓમાં લાલચ વધશે ડર નહી જાય ક્યારેય પણ. કદાજ આપણે જ ડર ને વધારી દીધો છે બોલી બોલી ને. કોઈ પણ વિદ્યાર્થી આઠમમાં કે નવમામાં આવશે એટલે તેના મોટા ભાઈ કે બહેન કે તેના સ્કૂલનાં સર કે ટીચર ને પૂછશે કે "કોમર્સ સહેલું કે સાયન્સ સહેલું (હા આટર્સ તો સહેલું છે જ આવું બધા માને છે!!!) આવું કેમ બને છે?
કદાજ આ ડાયલોગ અહીયા લાગુ પડશે " હમ તો કોલેજ ડીગ્રી કે લિયે જાતે થે, અગર ડીગ્રી નહી હોગી તો કોઈ કંમ્પની નોકરી નહી દેગી, નોકરી નહિ હોગી તો કોઈ બાપ અપની બેટી નહી દેગા, બેંક ક્રેડીટ કાર્ડ નહિ દેગી, દુનિયા તુમ્હે રીસ્પેક્ટ નહી દેગી" કદાજ આ કારણ સર પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જતા ડરતા હશે.
લોકો અને આપણે, તમે અને હું બધા વિદ્યાર્થીઓ ને કહેતા હોયએ કે "ભણવું તો પડશે, ભણ્યા વગર તો ચાલે જ નહી" હા હું પણ માનું છુ પણ આ વિધાનમાં થોડોક ફેરફાર કરીને બોલવાનું શરુ કરીએ તો "ભણવું જોઈએ કારણ કે ભણીએ તો આપણું જ્ઞાન વધે" બસ થોડોક જ ફેરફાર કરવાનો છે શબ્દોમાં કારણ કે "પડશે" એટલે "પરાણે" એવો પણ મતલબ થઇ શકે અને ડર ઉત્પન્ન થવાનો અને જો તેને વહેલી તકે ઘટાડવામાં ના આવ્યો તો તે વધવાનો છે અને ઘટાડવાનાં કોઈ ઉપાય હજુ સુધી શોધવામાં નથી આવ્યા હા વધારવા માટેના બધાના મોઢા માં અઢળક ભરેલા છે।
No comments:
Post a Comment