ત્રણ કે ચાર વર્ષ અગાઉ ગુજરાતની એક કંપનીનું લાઇટનું બિલ અંદાજિત ચાર
કે પાંચ (૪-૫) લાખ રૂપિયા આવ્યું. કંપની છેલ્લા ટૂંક સમયથી ઓન પેપર,
ચોપડમાં (રિયલી તો ફૂલ્લી નફો કરતી હતી, અને છે!) ખોટ કરતી હતી એટ્લે
કંપનીએ આ બિલ ભરવાની ના પડી દીધી. પણ જી.ઇ.બી. તો જી.ઇ.બી. હવે, તો બિલ
ભરવું જ પડે. પહેલા જેવુ હવે નથી ચાલતું. એટ્લે કંપનીના અધિકારીઓએ તેના
ઓળખીતા પોલિટિકલ મંત્રીઓને વાત કરી અને તે મંત્રીઓએ વચ્ચે રહીને બિલની
રકમના ૧૦%, ફકત દસ ટકા રકમ કંપનીને ભરવાનું કહ્યું અને ત્યાં જ આ કેસ
રફા-દફાં કરી દીધો.
આ સાવ સાચી ખબર છે. મે મારા સગા કાને સાંભળી છે. હા, થોડો-ઘણો ફેરફાર કર્યો છે પણ છે સાવ સાચી ઘટના. આના પરથી પહેલો સવાલ એ ઊભો થાય કે આ મંત્રીઓને કંપનીઓની સાથે શું લાગતું વળગતું હશે? ત્યારે આનો જવાબ તો બધાની પાસે છે કે “ચૂંટણીના સમયે કંપની તેઓને ફંડ સ્વરૂપે પૈસા આપે તે.” પણ, બીજો અને સૌથી મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે : “ચાર કે પાંચ(૪-૫) લાખની નુકશાની જી.ઇ.બી.ના ચોપડે બોલે તેનું શું? તો આનો પણ તે મંત્રીઓએ ઉપાય વર્ષો પહેલા શોધી જ કાઢ્યો છે.” આ જે નુકશાની આવે છે તે રકમની ટોટલ, બધા જ ગ્રાહકના બિલમાં અંદાજિત ૦.૧% લેખે કોઈ ટેક્ષમાં કે યુનિટ દીઠ વધારો કરી અને વસૂલ કરવી. કારણકે આટલો વધારો કોઈ ધ્યાનમાં નથી લેતું.”
બોલો! આ તે વળી ક્યાનો ન્યાય. કોઈ બીજું બિલ ના ભરે અને તેનો દંડ ભોગવે આખી દુનિયા. આ તો બે જુડવા છોકરા જેવુ થયું. એક ને ગાલ પર તમાચો મારો ને દુ:ખે બીજાને. અમારા જ શહેરમાં હજુ પણ એવા વિસ્તારો છે જ્યાં જી.ઇ.બી.ના બિલ નથી ભરતા લોકો છતાં પણ લાઇટ ચાલુ જ રહે છે અને જી.ઇ.બી.ના અધિકારીઓ કાઇં જ નથી કરી શકતા. અને ઉપરની ઘટના પરથી તો એવું જ લાગે છે કે તેવા વિસ્તારના બિલની રકમ પણ આખા શહેરમાથી ઉઘરાવવામાં આવે છે.
આખરે, બધુ સહન કરવાનું તો આમ આદમીને જ ને. ભલે તે પછી સીધી દેખાતી મોંઘવારીએ જેવી કે વધતાં પેટ્રોલના ભાવ, શાકભાજીના ભાવ કે આવી આડકતરી રીતે વધતી મોંઘવારી!!!
આ સાવ સાચી ખબર છે. મે મારા સગા કાને સાંભળી છે. હા, થોડો-ઘણો ફેરફાર કર્યો છે પણ છે સાવ સાચી ઘટના. આના પરથી પહેલો સવાલ એ ઊભો થાય કે આ મંત્રીઓને કંપનીઓની સાથે શું લાગતું વળગતું હશે? ત્યારે આનો જવાબ તો બધાની પાસે છે કે “ચૂંટણીના સમયે કંપની તેઓને ફંડ સ્વરૂપે પૈસા આપે તે.” પણ, બીજો અને સૌથી મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે : “ચાર કે પાંચ(૪-૫) લાખની નુકશાની જી.ઇ.બી.ના ચોપડે બોલે તેનું શું? તો આનો પણ તે મંત્રીઓએ ઉપાય વર્ષો પહેલા શોધી જ કાઢ્યો છે.” આ જે નુકશાની આવે છે તે રકમની ટોટલ, બધા જ ગ્રાહકના બિલમાં અંદાજિત ૦.૧% લેખે કોઈ ટેક્ષમાં કે યુનિટ દીઠ વધારો કરી અને વસૂલ કરવી. કારણકે આટલો વધારો કોઈ ધ્યાનમાં નથી લેતું.”
બોલો! આ તે વળી ક્યાનો ન્યાય. કોઈ બીજું બિલ ના ભરે અને તેનો દંડ ભોગવે આખી દુનિયા. આ તો બે જુડવા છોકરા જેવુ થયું. એક ને ગાલ પર તમાચો મારો ને દુ:ખે બીજાને. અમારા જ શહેરમાં હજુ પણ એવા વિસ્તારો છે જ્યાં જી.ઇ.બી.ના બિલ નથી ભરતા લોકો છતાં પણ લાઇટ ચાલુ જ રહે છે અને જી.ઇ.બી.ના અધિકારીઓ કાઇં જ નથી કરી શકતા. અને ઉપરની ઘટના પરથી તો એવું જ લાગે છે કે તેવા વિસ્તારના બિલની રકમ પણ આખા શહેરમાથી ઉઘરાવવામાં આવે છે.
આખરે, બધુ સહન કરવાનું તો આમ આદમીને જ ને. ભલે તે પછી સીધી દેખાતી મોંઘવારીએ જેવી કે વધતાં પેટ્રોલના ભાવ, શાકભાજીના ભાવ કે આવી આડકતરી રીતે વધતી મોંઘવારી!!!